ભારતનાં આ મહારાજા એ બનાવ્યું હતું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેડિયમ,૩૬૫ રાણીયો,૮૮ છોકરાં નું રહસ્યમય મોત, જાણો આખી સ્ટોરી.
ભારતના આ મહારાજાએ બનાવ્યું હતું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેડિયમ,,365 રાણીઓ,,88 બાળકો,,અને રહસ્યમય મોત…ઘણા રાજાઓની ખ્યાતિ ભારતના ઇતિહાસમાં પ્રખ્યાત છે. પરંતુ હજી પણ કેટલાક લોકો છે જેમને તે રાજાઓ વિશે કોઈ વિશિષ્ટ માહિતી નથી.

આજે અમે તમને આવા જ એક રાજા વિશે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લોકોને પહેલા જાણકારી નહોતી, અથવા તેમના વિશે, લોકો પાસે મર્યાદિત માહિતી છે. આજે આપણે મહારાજા ભૂપિંદર સિંહ વિશે વાત કરીશું.પંજાબની રજવાડા પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહ વિશે એ સમયે દરેક જાણતા હતા, પરંતુ હવે તેમના વિશે બહુ ઓછા લોકોને માહિતી છે, મહારાજા ભુપિંદરસિંહે પટિયાલા રજવાડા પર 1900 થી 1938 સુધી શાસન કર્યું હતું.

એટલું જ નહીં, ભૂપિન્દર સિંહ ભારતના ક્રિકેટર પણ હતા, દેશ માટે ઘણી મેચ રમતા, તેમણે હિમાચલની ચૈલમાં વિશ્વનું સર્વોચ્ચ ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવ્યું.મહરાજા જે ગુણવત્તા માટે જાણીતા હતા તે ક્રિકેટ નહીં, પણ રાજાના મનમાં મહિલાઓ પ્રત્યેની લાલસા હતી. મળતી માહિતી મુજબ મહારાજા ભુપિંદરના પાંચ લગ્ન થયા હતા, આ રાણીઓ ઉપરાંત, તેઓ નવી મહિલાઓ સાથેની નિકટતા વધારવાનું પસંદ કરતા હતા.

જેના કારણે તેમના અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. જર્માની દાસના પુસ્તકમાં મહારાજા રાજાઓના અંગત જીવન વિશે ઘણા રહસ્યો જણાવવામાં આવ્યા છે.તે પુસ્તકમાં મહારાજા ભૂપિંદર સિંહનું નામ પણ શામેલ છે. પુસ્તકમાં આપેલી માહિતી અનુસાર, મહારાજે પોતાના શોખ પૂરો કરવા માટે એક નાનો મહેલ અલગથી બનાવ્યો હતો.આ ભવન મહારાજા નવી છોકરીઓ સાથે તેમની ઇચ્છા પૂરી કરતા હતા. એવું કહેવામાં આવે છે કે રાજાને અલગ અલગ રાણીઓને મળવાની પોતાની વિશેષ રીત હતી.

પાંચ અધિકૃત રાણીયા હોવા ઉપરાંત, તેની પાસે 365 રાણીઓ બીજી હતી. તેઓના કુલ 88 બાળકો હતા, પરંતુ ફક્ત 53 બાળકો જ જીવી શક્યા. જ્યારે પણ મહારાજા ભુપિંદર સિંહના અંગત જીવનની ચર્ચા થાય છે, ત્યારે તેમના આ પાસાને ક્યારેય ભૂલી શકાય નહીં. લગભગ 46 વર્ષની વયે તેમનું અવસાન થયું.
Comments
Post a Comment